પુણેમાં સેનેટાઈઝર બનાવનાર ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. પૂણે શહેરના પિરંગૂટ MIDC વિસ્તારમાં આવેલ એક સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં સાંજે પાંચ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે ફેક્ટરીમાં ફસાયેલ 37 માંથી 13 મહિલા કર્મચારીઓના કરુણ મોત થયા છે. હજુ પણ અનેક કર્મચારીઓ ગુમ છે. ફેક્ટરીમાંથી નીકળનારો કાળો ધૂમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઇ ગયો છે. હજુ પણ અનેક મજૂરો ફેક્ટરીમાં આગની વચ્ચે ફસાઈ ગયા છે.
આ આગની જાણ થતા જ ફાયર વિભાગની 3 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેનેટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ અને વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.
તેમ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હોઈ શકે છે.
શોર્ટ સર્કિટથી આગ લાગવાની આશંકા છે તેમ છતાં, અત્યાર સુધી આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી પરંતું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કીટ એક મોટું કારણ હોઈ શકે છે. તક પર મુલશી કે તહસીલદાર અભય અને પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ધૂમલ પણ પહોંચ્યા છે.
અધિકારીઓ મુજબ, SVS કેમિકલ્સ નામની આ ફેક્ટરીમાં ધુમાડો હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ધુમાડાની ઝપેટમાં આવી ગુમ મજૂરો ફેક્ટરીમાં જ બેભાન થઈ ગયા અને તેમને દુર્ઘટના દરમિયાન બહાર નીકળવાની તક મળી નહોતી.