ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ટ્રકની ટક્કરમાં 18 લોકોના કરુણ મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રના એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે ઉભી રહેલી એક ખરાબ થયેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી. આ બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપેટમાં આવી ગયા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સીએચસી પર પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ ખસેડાયા છે. ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરાયા છે.

આ અકસ્માત રામસનેહીઘાટ પોલીસ સ્ટેશનની હદમાં લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદીના પુલ પર થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પુલ પર ખરાબ થઈને ઊભી રહેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રક ટ્રેલર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી. તેના કારણે બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

જ્યારે ટક્કર એટલી ભયંકર હતી કે, 11 મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકોના જિલ્લા હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત નીપજ્યા થયા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત નીપજ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ દ્વારા સ્થાનિક લોકોની મદદથી લાશોને હાઇવેથી હટાવી અને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

પ્રાઇવેટ ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર તરફ જઈ રહી હતી. જ્યારે કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક્સેલ તૂટી જવાના કારણે બસ ખરાબ થઈ હતી. ત્યારબાદ મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને આજુબાજુ સૂઈ ગયા હતા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી દીધી હતી. તેના કારણે ઘટનાસ્થળે જ 11 લોકોનાં મોત થઈ ગયા હતા.

Scroll to Top