હટાવો અદાણી, અમે સહન નહીં કરીએ: મુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકર્તાઓએ કરી તોડફોડ – જુઓ વિડિયો

મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. આ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં છે. શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટ પર લાગેલા અદાણી એરપોર્ટના બોર્ડને નુકસાન પહોચાડ્યુ હતું.

શિવસેનાનો આરોપ છે કે પહેલા આ એરપોર્ટ છત્તરપતિ શિવાજી મહારાજ એરપોર્ટના નામથી જાણીતુ હતુ પરંતુ હવે અહી અદાણી એરપોર્ટનું બોર્ડ લાગેલુ છે. એવામાં આ સહન કરવામાં નહી આવે.

મહત્વપૂર્ણ છે કે અદાણી ગ્રુપ તરફથી છેલ્લા કેટલાક વર્ષમાં એવિએશન સેક્ટરમાં મોટુ રોકાણ કરવામાં આવ્યુ છે. દેશના કેટલાક મોટા એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપ પાસે છે. જુલાઇમાં મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન પુરી રીતે અદાણી ગ્રુપ પાસે આવ્યુ હતું, ખુદ ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

વિપક્ષ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવ્યો કે દેશના કેટલાક એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોપવામાં આવ્યુ છે. કોંગ્રેસ સહિત અન્ય કેટલાક વિપક્ષી દળોએ આ મામલે કેટલીક વખત સીધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

Scroll to Top