સુરતમાં નવજાત બાળકી કચરા પેટીમાં મળી આવી: તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી

સુરતથી ફરી એક શરમજનક ઘટના સામે આવી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં જન્મેલી એક નવજાત બાળકીને માતા દ્વારા પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તેમ છતાં રામ રાખે તેને કોણ ચાખે તેવું જ નવજાત બાળકી સાથે બન્યું છે. આ દરમિયાન રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતા જ નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.

આ બાબતમાં મશીન ઓપરેટર ભરત ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, થેલીમાં બાળકી લોહીથી લોથપોથ હાલતમાં મળી આવી હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ જવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે 108 ના EMT એ જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારની માહિતી મુજબ ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.

ભરત ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જઈ રહ્યો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો તે દરમિયાન કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં જ હું ત્યાં ઊભો રહી ગયો હતો. ત્યાર બાદ મે આમ તેમ નજર કરી અને બાદમાં જોયું કે, કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થઈ રહી હતી. તો મેં ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી લોથપોથ હાલતમાં પડેલી હતી.

ત્યાર બાદ હું બાળકીને જોઇને ધ્રુજી ગયો હતો કેમકે બાળકી લોહીથી લોથપોથ હાલતમાં હતી. પછી મેં તાત્કાલિક 108 ને ફોન કર્યો અને રિક્ષાવાળા પાસે ચાદર લઈને તેને થેલીમાંથી બહાર કાઢી સાફ કર્યું હતું ત્યાર બાદ તેને રડવાનું બંધ કર્યું હતું. પછી અમે તાત્કાલિક 108 માં બેસાડી સિવિલ લઈ આવ્યા અને ડોક્ટરોએ તેને NICU માં રિફર કરી દીધી હતી. હાલ બાળકની હાલત સાધારણ હોવાનું સામે આવ્યું છે.

આ બાબતમાં મેડીકલ ઓફિસર ડો. ઉમેશ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે. બાળક લગભગ તાજું જન્મેલું એટલે કે 4-5 કલાક પહેલા જ જન્મેલું હોય એમ કહેવામાં આવી શકે. બાળકીનું વજન લગભગ 1.6 કિલો ઉપર હોઈ શકે છે. અત્યારે બાળકીને NICU માં દાખલ કરવામાં આવી છે અને તેને જન્મ લેતા જ ત્યજી દેવાઈ હોય તેમ કહી શકાય.. 108 EMT દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારની માહિતી કે તસ્વીર મીડિયામાં ન આપવા બાબતે EME દ્વારા સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.

Scroll to Top