ઉત્તરપ્રદેશના કન્નૌજ જિલ્લામાં વરરાજાએ વિચિત્ર કારણોસર યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા ચકચાર મચી ગયો છે. જ્યારે આ દરમિયાન લગ્ન કર્યા વગર તે જાન સાથે વરરાજા પરત ફર્યો હતો.બીજી તરફ દુલ્હન વરમાળા માટે વરરાજાની રાહ જોઇ રહી હતી. તેમ છતાં મામલો કંઈક અલગ જ જોવા મળ્યો હતો. વરરાજાના પરિવારે જણાવ્યું હતું કે, કન્યા પર ભૂત-બાધા રહેલ છે, તેથી આ લગ્ન થઈ શકશે નહીં. જ્યારે યુવતીના પિતાએ આરોપ લગાવ્યો કે, દહેજની માંગ પૂર્ણ ન થવાને કારણે વરરાજા જાન સાથે પરત ફર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ બુધવારના રોજ મૈનપુરીના નવીગંજથી દેવેન્દ્રની જાન કન્નૌજના જગતપુર ગામમાં આવી હતી. આ દરમિયાન દુલ્હન શિવાની વરમાળા માટે વરરાજાની રાહ જોઇ રહી હતી. જ્યારે તે સમયે વરરાજાને કાળઝાળ ગરમી અને તરસને કારણે ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈને પડી જતાં પરિવારજનો ચિંતિત થઈ ગયા હતા. આ દરમિયાન વરપક્ષ દ્વારા આક્ષેપ કરતા કહેવામાં આવ્યું કે, કન્યાને ભૂત બાધા છે અને બીમાર યુવતી સાથે લગ્ન કરવા અમે આવી રહ્યા હતા. આ દરમિયાન વરરાજા જાન સાથે ભાગી ગયા હતા.
આ બાબતમાં જ્યારે યુવતીના બાજુના લોકોને જાણ થઈ તો તેઓએ 112 નંબર પર ફોન કરી દીધો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી. તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે, દહેજની માંગ પૂર્ણ ન થવાના કારણે વરરાજા જાન સાથે પરત ફર્યો હતો. તેમણે જણાવ્યું કે, પુત્રીને દહેજમાં ટીવી, ફ્રિજ, કુલર, બાઇક અને પલંગ આપવામાં આવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે જ વરરાજાના પરિવારે વધારાના 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે માંગ પૂરી ન થતાં જાન પાછી ફરી હતી.