આ વર્ષે કોરોનાને કારણે 1 થી 9 અ 11માં ધોરણના વિદ્યાર્થીઓની પરિક્ષાને રદ કરવામાં આવી છે. કોરોનાને કારણે હાલ એટલી ખરાબ છે. કોઈ સંજોગોમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં ન મુકી શકાય. બીજી તરફ 10 અને 12 પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેથી વાલીઓની માગ છે. તેમની પરિક્ષાઓ પણ રદ કરીને તેમને માસ પ્રમોશન આપવામાં આવશે.
જોકે રાજ્ય સરકાર દ્નારા હજુ સુધી કોઈ પ્રકારની આ મામલે માહિતી આપવામાં નથી આવી. પરંતુ ધોરણ 10ની ઓફલાઈન પરિક્ષા લેવાશે તે મામલે સરકાર તટસ્થ જોવા મળી છે. આગામી 15મેના રોજ સમગ્ર મામલે શિક્ષણમંત્રી દ્વારા સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે.
જોકે હાલ ધોરણ 9નો વિદ્યાર્થી 10માં ધોરણમાં માસ પ્રમોશન સાથે પહોચી ગયો છે. પરંતુ ધોરણ 10ના વિદ્યાર્થીઓની પણ પરિક્ષા લેવામાં ન આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની અસર પડી શકે છે. આ વાતને પણ નકારી ન શકાય. જેના કારણે સરકાર દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાનો નિર્ણય રદ કરવાની જગ્યાને મોકૂફ રાખવામાં આવ્યો છે.
સરકાર દ્વારા હાલ તો કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ તે વાત તો સ્પષ્ટ્ છે. ક જ્યારે સંક્રમણ કાબૂમાં આવશે. રાજ્યમાં પરિસ્થિતી સારીથશે. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ની પરિક્ષા લેવામાં આવશે. બીજી એક વાત એ પણ છે કે વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવશે તો તેમને પણ આગળ જતા નુકશાન થઈ શકે છે. જેથી પરીક્ષા લેવી જરૂરી છે.
હાલ જે વિદ્યાર્થી 10માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. તે 1 થી 9 ધોરણ સુધી તેની મહેનતને આધારે 10માં ધોરણમાં પહોચ્યો છે. આવા સંજોગોમાં તેના વિકાસ માટે પરીક્ષા લેવી જરૂરી છે. કારણકે પરીક્ષા નહી લેવાય તો ધોરણ 12ની પરીક્ષામાં તેને મુશ્કેલી ઉભી થઈ શકશે. રાજ્યમાં હાલ ધોરણ 10ના 10 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ છે. જેથી જો માસ પ્રમોશન આપવામાં આવશે તો મહેનત કરતા વિદ્યાર્થીઓ પર તેની અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આ વર્ષે સૌથી વધારે તકલીફ વિદ્યાર્થીઓને પડી છે. પહેલા લોકડાઉન લગાવામાં આવ્યું. બાદમાં શાળાઓ પણ મોડી શરૂ થઈ. શરૂ થયા પછી પણ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો. ત્યારે હવે ધોરણની 10ની પરીક્ષા પણ લેવાશે કે નહી લેવાય તેને લઈને વિદ્યાર્થીઓ હાલ મુંઝવણમાં છે.