સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય

રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1લી જુલાઇ 2019 થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા 1. 7.2019 થી તા.31.12.2019 સુધી એમ કુલ- 6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો.

તે પૈકી જૂલાઈ- 2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બૈકી રહેતા ઓક્ટોબર- 2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરોને રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર- 2019 થી ડિસેમ્બર-2019 સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે.

આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે 464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના 5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરો મળીને કુલ 9, 61, 638 લોકોને આનો લાભ મળશે.

Scroll to Top