GujaratNewsPolitics

PM મોદી સહિત અન્ય નેતાઓ ક્યાંથી કરશે મતદાન,જાણો વિગત

આગામી 14મી ડિસેમ્બરના 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવાના છે.

14 ડિસેમ્બરના પ્રધાનમંત્રી મોદી પણ મતદાન કરવા માટે ગુજરાત આવવાના છે.પ્રધાનમંત્રી મોદી અમદાવાદના રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.

આ સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શાહપુરની હિન્દી શાળામાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં અને કેદ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી વેજલપુરમાં મતદાન કરશે.

આ સિવાય કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી બોરસદથી મતદાન કરશે. જ્યારે સિદ્ધાર્થ પટેલ ડભોઈથી, અને શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરથી મતદાન કરવાના છે. જ્યારે વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા પણ છોટા ઉદેપુરમાં મતદાન કરશે.

Read Also: ગુજરાતની આ બેઠકો પર થશે ફરી મતદાન, જાણો કઈ કઈ છે બેઠકો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker