અફઘાનીસ્તાનથી પાકિસ્તાની સેના હટતા તાલીબાની આતંકવાદીઓનો આતંક વધ્યો

તાલિબાને પાકિસ્તાનની સરહદની નજીકનો વ્યૂહાત્મક વિસ્તાર કબ્જે કરતાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને જોડતી તેની સરહદ બંધ કરી દીધી છે. અમેરિકા અને નાટોના દળો આ યુદ્ધગ્રસ્ત દેશમાંથી સંપૂર્ણપણે નીકળવા લાગતા તાલિબાને ફરીથી માથુ ઊચક્યું છે. અફઘાનિસ્તાનમાં જાન્યુઆરીથી ચાલતી અવિરત હિંસાના લીધે અંદાજે 2,70,000 અફઘાનીઓ નિરાશ્રિત બન્યા છે. તેમણે તાલિબાનના ડરના લીધે દેશ છોડીને જવાનો વારો આવ્યોછે. આ સાથે કુલ અફઘાન નિરાશ્રિતોની કુલ સંખ્યા 35 લાખનો આંકડો વટાવી ગઈ છે. ચીને તાલિબાનને બીજા બધા આતંકવાદી જૂથો સાથે જોડાણ કાપી નાખવા કહ્યું છે.

તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ પર આવેલા સરહદી શહેર સ્પિન બોલ્ડકને કબ્જે કર્યુ છે. પાકિસ્તાનના સરહદી શહેર ચમનના રહેવાસીઓએ સમગ્ર સરહદ પર તાલિબાનના સફેદ ઝંડા પણ જોયા હતા. તાલિબાનોએ અફઘાનિસ્તાનના અનેક શહેર લડયા વગર મેળવી લીધા છે, તે જ રીતે આ સરહદી શહેર પણ લડયા વગર મેળવી લીધું હતું. મહત્ત્વની બોર્ડર પોસ્ટ પર કબ્જો મળવાના લીધે તાલિબાન હવે કાબુલ સરકાર સાથે ભવિષ્યમાં થનારા વાટાઘાટમાં તેનો હાથ ઉપર રાખી શકે છે, કારણ કે આ પોસ્ટ હાથમાં આવતા તેની આવકમાં વધારો થશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનો આગળ વધતા ચીને પહેલી વખત તેના અંગે સત્તાવાર નિવેદન કરતા જણાવ્યું હતું કે તે બાકીના બધા આતંકવાદી જૂથો સાથે તેનું જોડાણ ખતમ કરે તેમા પણ ખાસ કરીને અલકાયદા સમર્થિત ઉઇઘુર મુસ્લિમ જૂથ સાથે તો ખાસ કરે, કારણ કે આ આતંકવાદી જૂથ ચીનના ઝિનઝિયાંગ પ્રાંતની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે આ રીતે યુદ્ધ જારી રહેશે તો અફઘાનિસ્તાન ગૃહયુદ્ધ ભણી ધકેલાઈ જશે. આ સ્થિતિ ટાળવી જોઈએ અને વાટાઘાટના ટેબલ પર આવવું જોઈએ. તેની સાથે અફઘાનિસ્તાનને બીજા આતંકવાદી જૂથોનું ઘર બનતું પણ અટકાવવું જોઈએ. ચીને તેની સાથે અફઘાન સરકારની પણ પ્રશંસા કરી હતી, જે રાષ્ટ્રનુ સાર્વભૌમત્વ જાળવવા માટે બધા પ્રયાસો કરી રહી છે. આમ ચીને અફઘાન સરકાર અને તાલિબાન બંનેને થાબડભાણા કર્યા હતા.

Scroll to Top