…તો 2019માં ઉથલી જશે મોદી સરકાર: બાબા રામદેવ

બાબા રામદેવે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મોદી સરકારને ઘણા સૂચનો આપ્યા છે અને સાથે જ સલાહો આપ્યા છે. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન મોદીએ મોંઘવારીને કાબુમાં ન કરી તો 2019માં તેમને આ બહુ મોંઘુ પડશે. તેમણે કહ્યું કે, ‘અમે એવા કામ કર્યા છે જેનાથી દેશના લોકોને ફાયદો થાય. અમે કામ કર્યા જેનાથી ખેડૂતોને તેમના દૂધની વધુ કિંમત મળે અને દેશના લોકોને સસ્તા ભાવે દૂધ મળે. આનાથી પતંજલિને 50 પૈસા કે 1 રૂપિયાનો સાધારણ નફો થાય તો પણ.’

તેમણે કહ્યું કે, મોંઘવારની મારમાં અમે પેટ્રોલ-ડીઝલના ભાવને ઘટાડી શક્યા નથી કારણ કે, તે અમારા નિયંત્રણમાં નથી, તે સરકારના હાથમાં છે. અમારા અંકુશમાં જે છે તેનાથી અમે લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએ.

બાબા રામદેવે કહ્યું કે, ‘એ વાત સાચી છે કે, થોડા દિવસ પહેલા સુધી ક્રૂડ ઑઈલના ભાવ તળિયે હતા, હવે થોડા વધ્યા છે. તેમ છતા જો ટેક્સ ઓછો કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે આગ લાગેલી છે તેના પર ટેક્સ ખતમ કરી દેવામાં આવે તો આજે પણ તેની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.’

‘વડાપ્રધાન મોદી તમારી વાત સાંભળે છે’ આ વાતની પ્રતિક્રિયા આપતા રામદેવે કહ્યું કે, ‘મોદીજી અત્યારે સહી સલામત છે, ન તેઓ બહેરા છે ન મૂંગા. મને લાગે છે કે, તેઓ જરૂર મારી વાત સાંભળી રહ્યાં છે. અમે ભવિષ્યમાં પણ તેમને સંભળાવતા રહીશું. 2019નો મહાસંગ્રામ નજીક છે. તેના પહેલા સરકાર મોંઘવારીની આગ બુઝાવવી પડશે નહીં તો આ તેમને બહુ ભારે પડશે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top