એ વર્ષથી કોરોનાને કારણે બોલીવૂંડને મોટો ફટકો પડ્યો છે. કેટલાય સમયથી થિયટરોમાં ફિલ્મો રિલીઝ નથી થઈ રહી કારણકે પહેલા સરકારે લોકડાઉન કરી દીધું હતું બાદમાં લોકો સંક્રમણના ડરને કારણે ક્યાય નથી જઈ રહ્યા. આ ઈદ પર જોન અબ્રહ્મની ફિલ્મ સત્યમેવ જયતે 2 રિલીઝ થવાની હતી. પરંતુ હવે તે ફિલ્મને પોસ્ટમોન કરી દેવામાં આવી છે.
હાલની પરિસ્થિતીને જોતા ફિલ્મને મેકર્સ દ્વારા પોસ્ટપોન કરવામાં આવી છે જોકે ફિલ્મ ફરી ક્યારે ફરીથી રિલીઝ કરવામાં આવશે તે માહિતી મેકર્સ દ્વારા હજુ નથી આપવામાં આવી સોશિયલ મીડિયા પર ફિલ્મના મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે.
અગાઉ સલમાન ખાનની ફિલ્મ પણ ઈદ પર રિલીઝ થવાની હતી. પરંતુ તેણે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે જોકે થિયટરોમાં પણ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તેવું તેણે કીધું છે પરંતુ તેમ છતા એવી કોઈ પરિસ્થિતી નથી કે હાલ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ શકે જેથી હાલ ફિલ્મને ઓટીટી પર તો રિલીઝ કરવામાં આવશે.
સત્યમેવ જયતે 2 ના મેકર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જનતાની સુરક્ષાને અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તેઓ ફિલ્મને પોસ્ટપોન કરી રહગ્યા છે સાથેજ તેમણે એવું પણ કીધું છે કે ફિલ્મ સંબંધી વધું જાણકારી પણ તેઓ આપતા રહેશે વધુંમાં મેકર્સે કહ્યું છે કે માસ્ક પહેરો અને 2 ગજનું અંતર રાખો, સાથેજ તેમણે લોકોને તેમના પરિવારનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું છે.
અગાઉ કોરોનાને કારણે ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે જોનની ફિલ્મ પણ ઓટીટી પર રિલીઝ થઈ શકે તેમ છે પરંતુ મેકર્સ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા તૈયાર નથી માટે ફિલ્મને પોસ્ટપોન કરી દેવામાં આવી છે જોકે હવે આ ફિલ્મની નેક્સટ રિલીઝ ડેટ ક્યારે સામે આવે છે તે પણ મેકર્સ દ્વારા કહેવામાં નથી આવ્યું.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે અક્ષયની લક્ષ્મી વરૂનની કુલી નં 1 અમીષેકની બિગબુલ જેવી મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે 13 મે ના રોજ સલમાન ખાનની ફિલ્મ રાધે પણ ઓટીટી પર રીલીઝ કરવામાં આવશે આ બાબતે સલમાન ખાને સત્તાવાર જાહેરાત કરી છે. ફિલ્મ રાધેને તમે ઝી5 પર જોઇ શકશો.