અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાથી મોતના સમાચાર થયા વાયરલ, જાણો હકીકત

અન્ડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજનનું દિલ્લીની AIIMS હોસ્પીટલમાં કોરોનાથી મોત થઈ ગયું છે તેવા સમાચાર વાયરલ થયા હતા. પરંતુ હવે તેને લઈને સમાચાર સામે આવ્યા છે કે, તે જીવંત છે. તેની સ્પસ્ટતા એએનઆઈ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્લીની તિહાડ જેલમાં બંધ છોટા રાજનને કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં નવી દિલ્લીના AIIMS માં દાખલ કરવામાં છે. રાજેન્દ્ર નીકલ્જે ઉર્ફે છોટા રાજનને ૨૬ એપ્રિલના AIIMS માં દાખલ કરવામાં છે. તે 2015 માં ઇન્ડોનેશિયાથી ધરપકડ બાદ નવી દિલ્લીની ઉચ્ચ સુરક્ષાવાળી તિહાડ જેલમાં બંધ હતા.

26 એપ્રિલના તિહાડ જેલના એક અધિકારીએ સેશન્સ કોર્ટને માહિતી આપી હતી કે, ગેંગસ્ટરને સુનાવણી માટે ન્યાયાધીશ સમક્ષ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરી શકાઈ તેમ નથી, કારણ કે તે કોવિડ-૧૯ થી સંક્રમિત થઈ ગયા છે. રાજન ખંડણી અને હત્યાના સંબંધમાં મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા 70 અપરાધિક હત્યાનો આરોપી હતો.

મુંબઈમાં તેમની વિરુદ્ધ બાકી રહેલા તમામ ગુનાહિત કેસોને સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા અને એક વિશેષ કોર્ટની રચના કરવામાં આવી હતી. 2018 માં રાજનને 2011 માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગયા મહિને મુંબઈની સીબીઆઈની વિશેષ અદાલતે 1993 ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી હનીફ કડાવાલાની હત્યાના મામલામાં રાજન અને તેના સાથીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

Scroll to Top