કોરોનાની રસી લીધા બાદ આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

છેલ્લા ઘણા સમયથી કોરોનાએ દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. તેવામાં કોરોનાથી બચવા માટે લોકોને વેકસીન આપવાનું કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે. જો તમે કોરોના ની રસી લીધી છે અથવા તો તમે રસી લેવાના છો તો તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

જો તમે કોરોનાની રસી લીધી છે તો રસી લીધા બાદ તરત કામકાજ કરવું જોઈએ નહીં. કોરોનાની રસી લીધા પછી ઓછામાં ઓછા 2 થી 3 દિવસ સુધી આરામ કરવો જોઈએ. કેટલાક લોકોને રસી લીધા પછી તરત અને કેટલાક લોકોને થોડા દિવસ પછી તેની સાઈડ ઇફેક્ટ દેખાય છે. આ કારણે રસી લગાવ્યા પછી ઓછામાં ઓછા ૨ દિવસ સુધી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

જો તમે રસીનો પહેલો ડોઝ લીધો છે તો વધારે ભીડ હોય તેવી જગ્યાએ જવું જોઈએ નહિ. જ્યાં સુધી રસીના બંને ડોઝ લેવામાં આવે નહિ ત્યાં સુધી ખૂબ સાવચેતી રાખવી જોઈએ, જોકે રસીના બંને ડોઝ લીધા પછી પણ તમારે પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

કોરોનાની રસી લીધા પછી પણ માસ્ક પહેરવું એટલું જ જરૂરી છે જેટલું રસી લીધા પહેલા જરૂરી હતું. કોરોનાની રસીના બંને ડોઝ લીધા પછી શરીરમાં એન્ટીબોડી બનતી હોય છે. તેથી તમારી માસ્ક ના પહેરવાની ભૂલ તમને કોરોનાની ચપેટમાં લાવી શકે છે.

કોરોનાની રસી લગાવ્યા પહેલા અને પછી પોતાની જાતને હાઇડ્રેટ રાખવું જરૂરી છે. આ માટે તમારા ભોજનમાં શાકભાજી, ફળ અને સૂકા મેવા સામેલ કરવા જોઈએ જેથી તમારું શરીર અંદર થી મજબૂત રહે.

જો તમને પહેલાથી જ કોઈ બીમારી છે તો તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે. રસી લીધા પછી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે જો કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જો તમે સિગરેટ અને દારૂનું સેવન કરો છો તો કોરોનાની રસી લીધા બાદ તેનાથી દૂર રહો. ઓછામાં ઓછા ૩ દિવસ સુધી દારૂ પીવો જોઈએ નહિ. આ સિવાય રસી લીધા બાદ બહારનું અને વધારે મસાલાવાળું તેમજ તળેલો ખોરાક ખાવો જોઈએ નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top