હાર્દિકના ઉપવાસ આંદોલન મુદ્દે પાટણના MLA કિરીટ પટેલની જીનીવા ખાતે UNના માનવ અધિકાર પંચમાં રજૂઆત

અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છાવણી જઈ મુલાકાત કરી હતી. ત્યારે આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા યુએનના માનવ અધિકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને દુર્લક્ષ સેવી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આજે બપોર બાદ એસપીજીના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું.

મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે, પાટીદારેને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. આ પહેલા પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

હાર્દિક પટેલને મળીને શું કહ્યું લાલજી પટેલે?

લાલજી પટેલ હાર્દિક પટેલની મુલાકાત બાદ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા SPG, PASS અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. હાર્દિકની તબિયત લથડતા આજે રાહ જોયા વગર મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિક ને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે.

ખોડલધામના ટ્રસ્ટી પણ મુલાકાતે

હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ને સમર્થન આપવા માટે ખોડલધામ ટ્રસ્ટ વતી ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ ચોવટીયા સહિત ત્રણ ટ્રસ્ટીઓ હાર્દિક પટેલના નિવાસસ્થાન પર ટૂંક સમયમાં પહોંચશે.

કન્હૈયા કુમારે સમર્થન કર્યું

છેલ્લા 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારે હાર્દિકને સમર્થન કર્યું હતું. તબીયત ખરાબ હોવા છતાં લડાઈ ચાલુ રાખીને કરોડો યુવાઓના અવાજને ઉઠાવવા સંઘર્ષ કરી રહ્યો હોવાની ટ્વિટ કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top