Mumbai Flyover Accident: મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નિર્માણાધીન પુલ તુટ્યો, 13 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં મેટ્રોના બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ તૂટી ગયા બાદ મોટો અકસ્માત થયો હતો. અકસ્માત આજ સવારના થયો હતો. અહીં રાત્રીના મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. અકસ્માતમાં 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને વિનદેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વધુ લોકો ફસાયા હોવાની આશંકા રહેલી છે.

અત્યારે અહીં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચી ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જ્યારે ડીસીપી મંજુનાથ સિંગ દ્વારા કહ્યું હતું કે, “મુંબઈમાં બીકેસી મુખ્ય માર્ગ અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જોડતા અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરનો એક ભાગ સવારના ૪:૩૦ વાગ્યાના આજુબાજુ તૂટી ગયો હતો. થોડા લોકોને નાની મોટી ઈજા થયેલ છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ વ્યક્તિ ગુમ થયેલ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, વહેલી સવારના મેટ્રો બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું. કેટલાક કામદારો પુલ ઉપર કામ કરી રહ્યા હતા, કેટલાક નીચે રહેલા હતા. ઉપર કામ કરતા કામદારો બારને પકડીને કૂદી પડ્યા ગયા જ્યારે પુલ તૂટી પડ્યો તો કેટલાક તેની બાજુમાં આવેલી પાણીની ટાંકીમાં પડ્યા અને કેટલાક લોકો પુલની નીચે દટાયેલા હોવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. આ રીતે 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Scroll to Top