ગુજરાત સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે એડવાન્સ પ્લાનિંગ કર્યું, મુખ્યમંત્રીએ આપી માહિતી

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે. પરંતુ એ બીજી લહેરનો સમયગાળો એટલો ઘાતક હતો અથવા તો બીજી લહેર એટલી ઘાતક હતી કે રીતસરની તબાહી મચી ગઈ હતી. હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા, ઓક્સિજનના બાટલા નહોતા મળતા, રેમડેસિવર ઈન્જેક્શન નહોતા મળતા અને છેલ્લે છેલ્લે દવાઓની અછત પણ સર્જાઈ હતી. વાત સ્પષ્ટ છે કે કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા માટે સરકારે પૂરતી તૈયારીઓ નહોતી કરી.

હજી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી શક્યતા વિશેષજ્ઞો દર્શાવી રહ્યા છે. કહેવાય છે કે, કોરોનાની આ ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે. ત્યારે ગુજરાતે આ માટે તૈયારી કરી લીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ મામલે માહિતી આપી હતી.

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સંભવિત ત્રીજી વેવને લઇ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે, સરકારે કોરોનાની ત્રીજી વેવને લઇ એક્શન પ્લાન બનાવ્યો છે. સાથે જ ‘ટેસ્ટિંગ, ઓક્સિજન અને હોસ્પિટલની વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આરોગ્ય કમિશનરે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન રજૂ કરતા જણાવ્યું હતું કે, કોરોનાના ત્રીજા વેવની સૂચના મળતા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તજજ્ઞાની ટીમ બનાવવામાં આવી છે. ત્રીજા વેવમાં મ્યૂટેન પર નરજ રાખવામાં આવશે. ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે. નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે. વેન્ટિલેટર, ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે.

બેડની અવેલીબિટીની માહિત સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે. ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી, હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી, સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી, જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો. ICU માં 15000 બેડ હતા તેમાં વધારો કરવામાં આવ્યો છે. પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુપજરાતમાં રોજના 25,000 કેસ આવે તો તેને પહોંચી વળવા માટે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં 2,50,000 એક્ટીવ કેસ હોય ત્યાં સુધીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા માટે 1,10,100 ઓક્સિજન બેડ, 30,000 ICU બેડ અને 15,000 વેન્ટિલેટર બેડ તૈયાર રાખાશે. સાથે જ બાળકને ધ્યાને રાખી 4000 પીડિયાટ્રિક પણ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.

બાળકો માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે. સાથે જ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દોઢથી બે ગણા સ્ટાફની જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી પણ રાજ્ય કરશે. આ માટે રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે.

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન એમ્બ્યુલન્સને લઇ લોકોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી સંભવિત ત્રીજી લહેર માટે દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે અને લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે. સાથે જ દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે.

Scroll to Top