AhmedabadGujaratNewsPolitics

હાર્દિકને મળી બિહારના પૂર્વ CM માંઝીએ કહ્યું, કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક

અમદાવાદઃ શ્રાવણમાં તહેવારો ચાલી રહ્યા છે અને ભક્તિમય માહોલ ચાલી રહ્યા છે તેવા સમયે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી હાર્દિકની મળવા પહોંચ્યા હતા. હાર્દિકને મળીને જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક બાબત છે. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એકબાદ એક કોંગ્રેસ નેતા આવી રહ્યા છે ત્યારે આજે તેને મળવા માટે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા એવા પરેશ ધાનાણી તેના સમર્થનમાં ઉપવાસી છાવણીમાં જઈને તેની મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે ગઈકાલે (1 સપ્ટેમ્બરે) એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકના સમર્થનમાં આજે દેશભરમાંથી લોકો આવશે એવો હાર્દિકના સાથીઓ આશાવાદ રાખી રહ્યા છે.

જીતનરામ માંઝીએ શું કહ્યું?

હાર્દિકને મળ્યા બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક વાત છે. હું સમજુ છું કે આ સમાજ મૂળ નિવાસી લોકો છે, જે સમાજના વિકાસ માટે કરી રહ્યા છે. જન સંખ્યા આધારે આરક્ષણ છે શૈક્ષણિક રીતે બેકબર્ડ લોકો માટે છે તો 49 ટકા મુજબ આપી શકાય તે લિમિટ યોગ્ય નથી. અન્ય રાજ્યમાં 70 ટકા આરક્ષણ છે. આર્શીવાદ આપું છું કે દેશમાં આરક્ષણ માટે એક રસ્તો બતાવ્યો છે. દેશમાં 55 લાખ ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકાર પાપ કરી રહી છે તે ભોગવવું પડશે. આ બેદર્દો ની સરકાર છે. અગાઉ સામાજિક,ઇકોનોમિક થયેલો સર્વે જમા કરાવ્યો છે તે જાહેર કરે. હાર્દિક પટેલને અમારું સમર્થન છે.

હાર્દિકને મળવા આવતા પાટીદારોની સાબરકાંઠામાં અટકાયત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામથી માં ઉમિયાના રથા સાથે 3 હજાર પાટીદારો અને ખેડૂતો અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે તલોદ રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકીને અમદાવાદ જઈ રહેલા પાટીદારોને રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે પદયાત્રીઓને મંજૂરી મેળવીને જવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો હતો. જેના વિરોધમાં માતાજીનો રથ લઈને નીકળેલા પાટીદારો અને ખેડૂતો જેમાં મહિલાઓ પણ સામે છે તેઓ રોડ પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી.

હાર્દિકની શારીરિક સ્થિતિ નાજૂક

હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું બહાર આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker