સુરત શહેરનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરણિત મહિલા બે બાળકો સાથે તાપી નદીમાં આપઘાત કરવા પહોંચી ગઈ હતી. સુરત શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેનાર એક પરિણીતાને જેઠાણી સાથે બાળકોના રીઝલ્ટ બાબતે ઝઘડો થતા બે બાળકો સાથે તાપી નદીમાં આપઘાત કરવા પહોંચી ગઈ હતી. તેમ છતાં તે પહેલા પરિણીતાના પતિને જાણ થતા જ પતિએ આ બાબતમાં પોલીસને જાણ કરી દીધી હતી. જાણ થવાની સાથે જ પોલીસે પરિણીતા અને બાળકોને સમયસર પહોંચી બચાવ કરી લીધો હતો.
સુરતમાં જેઠાણીના ત્રાસથી કંટાળી બે સંતાનો સાથે આપઘાત કરવા નીકળેલ વેપારીની પત્નીને પોલીસ દ્વારા બચાવ કરી લેવાયો હતો. પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ માત્ર 4 જ મિનિટમાં જ હોપપુલ પર પહોંચી ગઈ હતી અને પરિણીતાને આત્મહત્યા કરતી અટકાવી અને સમજાવીને પતિ સાથે ઘરે રવાના કરી દીધી હતી.
આ બાબતમાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા જ કંટ્રોલ રૂમ દ્વારા પરવત પાટિયા વિસ્તારની આજુબાજુમાં રહેલ તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરીને મહિલાને શોધવાની સૂચના આપી દીધી હતી. ત્યારબાદ થોડી વારમાં જ કંટ્રોલરૂમને કોલ આવ્યો કે, હોપ પુલ પર એક મહિલા બે સંતાનો સાથે ઉભી જોવા મળી રહી છે અને શંકાસ્પદ દેખાઇ રહી છે. જેની કંટ્રોલ રૂમ રાંદેર પોલીસને જાણ થઈ ગઈ હતી. રાંદેર પોલીસ સ્ટેશનને જાણ થવાની સાથે પીસીઆર વાન માત્ર ચાર મિનિટમાં હોપ પુલ પર પહોંચી ગઈ અને ત્યાં પરિણીતા તેના બે સંતાનો સાથે દેખાઈ ગઇ હતી. પછી પીસીઆર વાનમાં મહિલાને રાંદેર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. ત્યાં પછી મહિલાના પતિને પણ બોલાવી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ મહિલા પોલીસ દ્વારા પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પરિણીતાએ પોલીસને કહ્યું હતું કે, તેની જેઠાણી તેને ખૂબ હેરાન કરે છે. પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી પરિણીતાનો બાળકોના રીઝલ્ટ બાબતે જેઠાણી સાથે ઝઘડો થયો હતો. જેના કારણે જેઠાણીથી ત્રાસીને હું આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી. તેમ છતા પોલીસ અધિકારીઓએ તેમને સમજાવી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું જ્યારે ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે તો પોલીસની મદદ લેવાનું કહી પતિ સાથે મહિલાને ઘરે રવાના કરવા માં આવી હતી. નોંધનીય છે કે, આજના સમયમાં સામાન્ય બાબતોને લઈને હત્યા, મારામારી અને આપઘાત જેવી ઘટનાઓ સામે આવી રહી છે.