તમે સાંભળ્યું જ હશે કે, પ્રેમ આંધળો હોય છે અને આ પ્રેમ અને યુદ્ધમાં અચાનક કઈ પણ થઈ શકે છે. પરંતુ થોડા ઘણા સમયથી એવા કિસ્સો સામે આવી રહ્યા છે કે પ્રેમ પણ તેમની હદ વટાવી દે છે. જેના વિશે આપણે ક્યારેય વિચારી પણ શકતા નથી, જે પ્રેમલીલાઓની એટલી હદ સુધી છીછરી બની રહી છે કે પોતાના પ્રેમને પામવા માટે બીજાને તેમના રસ્તાનો કાંટો સમજીને હટાવવામાં લાગી છે અને તેના કારણે તેમને એક ક્ષણ પણ વિચાર્યા વગર ના કરવાનું કામ કરી દે છે, જેના કારણે તેમનો પછતાવાનો પણ સમય મળતો નથી. જો કે આ પ્રેમ પ્રકરણમાં હિંસક અને હત્યાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો જોવા મળી રહ્યો છે. જે અવારનવાર આવા પ્રેમીકરના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને લગ્ન પછીના પ્રેમ પ્રકરણ ઘણા લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો બંગાળની ખાડીમાં આવેલા આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટનમમાં માંથી સામે આવ્યો છે.
વિશાખાપટનમમાં પ્રેમમાં પડેલી બે બાળકોની માતા પોતાના પતિને પ્રેમનો કાટો માનીને પતાવી દીધો છે. આ બંને યુગલના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. જો કે આ મહિલાને તેના જુના પ્રેમી સાથે ફરીથી આક્રષણ વધતા તેના પતિને પ્રેમનો કાટો માનીને પતાવી દીધો છે. અને ત્યારબાદ પરિણીતાએ પોતાના પતિની હત્યામાં પ્રેમીનો સાથ આપ્યા બાદ પોલીસને ઊંધા પાટે ચઢાવવાના પ્રયત્નો કર્યા હતો.
પોતાની ચોરી પકડાઈ ના જાય તે માટે રામ્યાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, જ્યારે તે પરિવારના ચાર સભ્યો 13 જુલાઈની સાંજે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે સતિષ અચાનક રસ્તા પર ઢળી પડ્યો હતો. જ્યાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યાંથી એક વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. રામ્યાએ સુધાકર રેડ્ડી નામના શખ્સ પર શંકા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તેને સતિષની હત્યા કરી હોઈ શકે છે કે કારણ કે બન્ને વચ્ચે રૂપિયાને લઈને કોઈ ડખો પડ્યો હતો. જોકે, પોલીસે ઊંડી તપાસ કરતા આખરે પતિની હત્યા માટે પત્ની અને તેનો પ્રેમી જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
જો કે સતિષ કોની નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું હતું. 13 જુલાઈના રોજ બનેલી હત્યાની ઘટનામાં પોલીસે રામ્યા કોની અને તેના પ્રેમી બાશા શેખની ધરપકડ કરી લેવામાં આવી છે. વિશાખાપટનમની રહેવાસી રામ્યાના લગ્ન વર્ષ 2015માં એલુરુના સતિષ સાથે થયા હતા. લગ્ન પછી રામ્યા દુબઈ ગઈ હતી જ્યાં સતિષ કામ કરતો હતો. આ બન્નેની એક દીકરી અને એક દીકરો પણ છે. જો કે વર્ષ 2019માં જ્યારે રામ્યા પ્રેગનેન્ટ થઈ ત્યારે તે દુબઈથી વિશાખાપટનમથી દીકરીને લઈને પરત આવી ગઈ હતી. અને અહીં તેણે દીકરાને જન્મ આપ્યો હતો.
જોકે, વર્ષ 2019માં જ્યારે એક સ્કૂલમાં સાથે ભણતા લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમાં રામ્યા અને બાશા ફરી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.જે રામ્યાનો પતિ દુબઈમાં હોવાથી આ બન્ને ફરી એકબીજાને મળવા લાગ્યા હતા અને તેમનો જૂનો પ્રેમ ફરી યાદ આવતા બને પાછા પ્રેમમાં પડી ગયા હતા. જો કે ફેબ્રુઆરી 2021માં સતિષ પણ પત્ની પાસે વિશાખાપટનમ પરત આવી ગયો હતો. જેના કારણે બંનેનું મળવાનું બંધ થઇ ગયું હતું.આ પછી બન્નેએ રામ્યાના પતિને લગ્ન જીવનમાં દગો મળ્યો હોવાનું દર્શાવવા માટે મેસેજ અને ફોટોગ્રાફ મોકલ્યા હતા, પરંતુ સતિષે પોતાની પત્ની રામ્યાને છોડવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી રામ્યા અને બાશાએ સતિષને પતાવી દેવાનો પ્લાન બનાવીને સુધાકરણ તેમાં ફસાવાની યોજના ઘડી હતી. પોતે બનાવેલા પ્લાન પ્રમાણે સતિષ તેની પત્ની અને બાળકો સાથે સાંજે ચાલવા માટે નીકળ્યો હતો ત્યારે તેની પત્ની બાળકોને લઈને આગળ ચાલતી હતી અને પાછળથી બાશાએ સતિષના માથામાં લોખંડનો સળિયો મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.