આ એક જ આદતના કારણે માણસો જલ્દી મૃત્યુ પામી રહ્યા છેઃ એક સ્ટડીમાં થયો મોટો ખુલાસો

માણસના જીવન માટે ઉંઘ પણ ખૂબ જરૂરી છે. એક્સપર્ટ્સ હંમેશા આપણને પર્યાપ્ત ઉંઘ લેવાની સલાહ આપે છે. હવે આને જ લઈને એક ડરાવનારી સ્ટડી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, રાતમાં અનિંદ્રાથી પરેશાન અથવા તો ઓછી ઉંઘ લેતા લોકોમાં ડેમેંશિયા નામની બિમારી વધવાનું સંકટ હોય છે. આટલું જ નહી પરંતુ પર્યાપ્ત ઉંઘ ન લેવાના કારણે કેટલાય એવા કારણો સામે આવી શકે છે કે જેનાથી માણસનું મૃત્યુ વધારે થઈ શકે છે.

હાવર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિન ઈન્સ્ટ્રક્ટર રેબેકા રોબિન્સન અનુસાર, આ સ્ટડીમાં સામે આવેલા સાક્ષ્ય જણાવે છે કે, રોજ રાત્રે યોગ્ય રીતે ઉંઘ લેવી તે કેટલી જરૂરી છે. આ ન માત્ર આપણા ન્યુરોલોજિકલ સિસ્ટમ માટે ફાયદાકારક છે પરંતુ પર્યાપ્ત ઉંઘ લેવાથી મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે, અમેરિકા સહિત દુનિયાભરમાં લોકોમાં ઉંઘ ડેમેંશિયા અને કોઈ કારણથી જલ્દી મોત થવું એ એક મોટી ચિંતાનો વિષય છે. વર્લ્ડ સ્લીપ સોસાયટી અનુસાર, ઓછી ઉંઘ આવવી તે વિશ્વની 45 ટકા માનવ વસતીના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આપણે રોજ ઓછામાં ઓછી 7 થી 10 કલાકની યોગ્ય ઉંઘ લેવી જોઈએ. ત્યાં જ યૂએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનનું કહેવું છે કે, અમેરિકામાં દરેક ત્રીજી વ્યક્તિ ઉંઘની આ પેટર્નને ફોલો કરી શકતો નથી.

રિપોર્ટ અનુસાર, અમેરિકામાં આશરે 5 થી 7 કરોડ લોકો સ્લીપ ડિસઓર્ડર, સ્લીપ એપનિયા, ઈન્સોમીનિયા અને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ જેવી બીમારીઓ સામે લડી રહ્યા છે. CDC આને પબ્લિક હેલ્થ પ્રોબ્લમ કહે છે, કારણ કે ઉંઘ સાથે જોડાયેલી આ સમસ્યાનો સંબંધ ડાયબિટીઝ, સ્ટ્રોક, કાર્ડિયોવસ્ક્યૂલર ડિસીઝ અને ડેમેંશિયા સાથે પણ છે.

Scroll to Top