AhmedabadCentral GujaratGujaratNewsPolitics

હાર્દિકના ઘર બહારની પોલીસ હટાવવા કરેલી અરજી HC જજે કરી ‘નોટ બીફોર મી’, જાણો હવે શું થશે..

હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેઠેલો છે. પોલીસ તંત્ર દ્વારા પહેલા દિવસથી જ તેની ઘરની બહાર પોલીસ કાફળો ગોઠવી દેવાયો હતો. ત્યારે હાર્દિકના ઘરની બહાર લાગેલા પોલીસ પહેરાના મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને જજ પીપી ધોલારીયાએ ‘નોટ બીફોર મી’ કરી છે.

આ અરજી પર હાઈકોર્ટ વહેલી તકે સુનાવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસે હાર્દિકને નજરકેદ કરી લીધો છે.હાર્દિકના ઘરમાં જીવન જરુરિયાતની વસ્તુઓ જેમકે દૂધ અને પાણીની બોટલો પણ પોલીસ પહોંચવા દઈ રહી નથી.પોલીસે હાર્દિકના ઘરને જાણે કિલ્લામાં ફેરવી દીધુ છે. સીસીટીવીથી સતત વોચ રાખવામાં આવી રહી છે.

પોલીસ કોઈને હાર્દિકના ઘરે જાવ દેતી નથી.એટલે સુધી કે હાર્દિકના સમર્થકોને જીવ જંતુઓ કરડ્યા ત્યારે પોલીસે તેમને સારવાર માટે જવા દેવાની જગ્યાએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર કરાવડાવી હતી. જજ દ્વારા નોટ બીફોર મી કરવામાં આવતા, હવે આ અરજી ચિફ જસ્ટીસની કોર્ટમાં કરવી પડશે. અરજદારે હવે હાઈકોર્ટના ચિફ જજની કોર્ટમાં રજૂઆત કરશે અને આવનારા દિવસોમાં આ અંગે સુનવણી હાથ ધરવામાં આવી શકે છે.

નોટ બીફોર મી એટલે હવે જજ પીપી ધોલેરીયા આ અરજી પર સુનવણી નહીં કરે. હવે કયા જજ સુનવણી કરશે તેનો નિર્ણય ચિફ જજ દ્વારા લેવામાં આવશે.

‘અધિકારીઓ રાજકારણના આધારે કામ કરે છે’

હાર્દિકની મુલાકાતે પહોંચેલા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ કુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિકની વ્યક્તિગત રીતે મુલાકાત લેવા આવ્યો છું. હાર્દિકના મુદ્દા પ્રજા અને યુવાનોને સીધી સ્પર્શે છે. લોકોને હાર્દિકને મળવા આવતા રોકાય છે આ યોગ્ય નથી. આમ કરવાથી કાયદાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા તેના સુધી ન પહોંચી શકે તે માટે આ બધુ કરાયું છે. અધિકારીઓ પોતાની સુઝબુઝથી કામ નથી કરતા તે માત્ર રાજકારણના આધારે કામ કરે છે. હાલ રજનીશ રાયે પણ રાજીનામું આપી દીધુ છે. અને હવે સાચું સ્ટેન્ડ લઈ શકે એવા લોકોની સરકાને જરૂર નથી લાગતી.

હાર્દિકને મળવા અભિમન્યુની માફક વીંધવા પડે છે સાત કોઠા, 300 મીટરના અંતરે પોલીસ બેરીકેટ

ગ્રીનવુડ રિસોર્ટ ખાતેના ફાર્મ હાઉસ પર ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે અભિમન્યુની જેમ સાત કોઠા પસાર કરવા પડે છે. પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસ માટે પોલીસે અન્ય કોઇ સ્થળની મંજૂરી ન આપતા હાર્દિક પોતાના ગ્રીનવુડ ખાતેના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા હાર્દિકને મળવા માટે સામાન્ય પ્રજાને જવા દેવામાં આવતી નથી.

300 મીટરે અંતરે પોલીસ

હાર્દિકના છત્રપતિ નિવાસથી દોઢ કીમી દુર આવેલા ગ્રીનવુડના મેઇન ગેટથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ચેકિંગ દર 300 મીટરના અંતરે કરવામાં આવે છે. આમ હાર્દિકને મળવા માટે સામાન્ય જનતાને પ્રવેશ નથી પરંતુ કોઇ નેતાને હાર્દિકની ઉપવાસી છાવણી સુધી પહોંચવું હોય તો પોલીસના સાત કોઠા ફરજીયાતપણે પસાર કરવા પડે છે.

એન્ટ્રી ગેટથી પોલીસ હાર્દિકને મળવા જનારને પાછા મોકલી દે છે

અમદાવાદની ફરતે આવેલા એસ પી રિંગ રોડ પરના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી હાર્દિકના સમર્થનમાં લોકો આવે છે પરંતુ પોલીસ તેમને ગ્રીનવુડ રિસોર્ટના એન્ટ્રી ગેટથી જ રવાના કરી દે છે. સામાન્ય રીતે હાર્દિકના ઉપવાસના સ્થળ સુધી પહોંચવા માટે અભિમન્યુના ચક્રવ્યુહની જેમ ચારે તરફ પોલીસ ગોઠવી દેવામાં આવી છે જ્યાં કોઇને પહોંચતા પહેલા પોલીસ ચેંકિંગમાંથી પસાર થવુ પડે છે.

એસ પી રિંગ રોડ પર આવેલા ટોલ ટેક્સ પ્લાઝાથી બન્ને તરફ પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. જ્યાંથી આગળ નીકળ્યા બાદ 100થી વધુ પોલીસ કર્મીઓ અને પોલીસના વાહનો મોટી સંખ્યામાં દેખાય છે. જે ગ્રીનવુડ રિસોર્ટનો એન્ટ્રી ગેટ છે. ગ્રીનવુડ રિસોર્ટના ગેટથી અંદર જતી તમામ ગાડીઓને ચેક કરવામાં આવે છે. જો યોગ્ય કારણ ન મળે તો ત્યાંથી કાર અંદર જવા દેવામાં આવતી નથી. ત્યાર બાદ અંદર પહોંચી જાવ તો દર 300 મીટરના અંતરે પોલીસના બેરીકેટ છે. જ્યાં બે પીએસઆઇ, મહિલા પોલીસકર્મીઓ અને બેરિકેટ પણ છે. છત્રપતિ નિવાસ પાસે પોલીસે ખાસ સીસીટીવી વાન મુકી છે, જે અંદર આવતા જતાં તમામ લોકોનું વીડિયો શુટીંગ કરે છે. આ બધાની વચ્ચે હાર્દિકના ઘર પાસે પહોંચ્યા બાદ તેના પોતાના લોકો દ્વારા પણ ચેંકિંગ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker