કોરોનાના લીધે માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને લઈને બોર્ડ દ્વારા લેવામાં આવ્યો આ મહત્વપૂર્ણ નિર્ણય
MT Online Correspondent

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીને લીધે જે વિદ્યાર્થીએ માતાપિતા ગુમાવ્યા છે તેની પાસેથી બોર્ડની પરીક્ષાની ફી વસૂલ કરવામાં આવે નહીં.
નોંધનીય છે કે, મહામારીને લીધે અનેક વ્યવસાય અને નોકરીઓને માઠી અસર જોવા મળી છે. જેના કારણે માતા-પિતા તથા વિદ્યાર્થીઓ તરફથી સતત પરીક્ષાને લગતા ચાર્જીસમાં છૂટ આપવાની માંગ કરવામાં આવી રહી હતી.
જ્યારે CBSE દ્વારા સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે અનેક માઠી અસર થઈ છે. વિદ્યાર્થીઓ પર થયેલી અસરને ધ્યાનમાં રાખીને CBSE દ્વારા શૈક્ષણિક સત્ર 2021-22 માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે, એવા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ પરીક્ષા ચાર્જીસ અને નોંધણી ચાર્જીસ વસૂલ કરવામાં નહીં આવે કે જેમણે પોતાના બન્ને માતા-પિતા અથવા દત્તક માતાપિતાને કોરોનાને લીધે ગુમાવ્યા છે.
તેની સાથે હાલમાં શાળાને ધોરણ 10 અને 12 માટે વિદ્યાર્થીઓની યાદી 30 સપ્ટેમ્બર સુધી વિલંબ વગર ફી તથા 9 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે મોકલવાનું કહેવામાં આવેલ છે. નોંધનીય છે કે, અરજીકર્તા માટે વિદ્યાર્થીઓને અગાઉના નિયમો અનુસાર બોર્ડ પરીક્ષા ચાર્જીસની ચુકવણી કરવી પડશે.
પાંચ વિષયો માટે પ્રત્યેક ઉમેદવારને રૂપિયા 1500 અને રૂપિયા 1200 સુધી સામાન્ય ચાર્જીસ જમા કરાવવાના હોય છે. જ્યારે CBSE દ્વારા આ વર્ષે સિલેબસને બે ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેની પરીક્ષા બે ટર્મમાં યોજાશે.
નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાની ટર્મ-1 ની પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો હશે, જેમાં કેસ આધારિત એમસીક્યૂ તથા તર્ક આધારિત એમસીક્યુનો સમાવેશ થાય છે. આ પરીક્ષા 90 મિનિટની હોય છે. જ્યારે બીજી ટર્મમાં કેસ આધારિત, સ્થિતિ-આધારિત, ઓપન એન્ડેડ પ્રશ્નો સાથે લઘુ અને દીર્ઘ ઉત્તર બન્ને પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પેપર માટેનો સમય બે કલાક રખાયો છે. તેમ છતાં કોવિડ-19 મહામારીની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માર્ચમાં ટર્મ-2 ની પરીક્ષા 90 મિનિટની જ રહેશે, જેમાં એમસીક્યુ-આધારિત પ્રશ્ન પૂછાશે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

માછલી ખાવી એ એક મહિના સુધી દૂષિત પાણી પીવું જેટલું ખતરનાક, ચોંકાવનારો ખુલાસો
માછલી પ્રેમીઓ તેના ફાયદાઓ વિશે ઘણી વાતો કરે છે, જેમ કે પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર. માંસાહારી ખાનારાઓના આહારમાં […]

આ છે દુનિયાના સૌથી ખતરનાક ફૂલો અને છોડ, ભૂલથી પણ ના અડશો નહીંતો જઈ શકે છે મિનિટોમાં જીવ
સુંદર ફૂલો અને છોડ લોકોના મનને મોહી લે છે. ફૂલોની સુગંધ લોકોને પોતાના માટે પાગલ બનાવે છે. પરંતુ આ દુનિયામાં […]

હવે વૈકસીન માટે નહીં સહન કરવી પડે સોયની પીડા: ઇન્જેક્ટર ગનથી લાગશે DNA વૈકસીન
દુનિયાની પહેલી DNA વૈકસીન બનાવનાર આપણા દેશમાં હવે વગર સોય વાળી 10 વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવશે. […]

video: બાળકની મહેનતને સો સલામ! સવારે ઘરે-ઘરે પેપર આપી જાય છે શાળાએ, બધા કરી રહ્યા છે પ્રશંસા
દરેક મનુષ્ય માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેકના જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું […]
